SPORT

દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની હેઠળ રમતી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમને લાગ્યો મોટો ફટકો, જાણો…

IPL 2022ની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો આંચકો લાગ્યો છે. ટીમના પૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા IPLમાંથી બહાર થઈ ગયા છે, CSKએ નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ભૂતપૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા IPL 2022 માંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે બુધવારે સાંજે એક નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે. રવીન્દ્ર જાડેજા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારપછી તેના રમવા અંગે શંકા રહી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સે બુધવારે સાંજે જારી કરેલા તેમના નિવેદનમાં કહ્યું, ‘પાંસળીની ઈજાના કારણે રવીન્દ્ર જાડેજા દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ઉપલબ્ધ નહોતો. તે હાલમાં મેડિકલ ટીમની દેખરેખમાં છે, આ આધારે તેને આઈપીએલ 2022ની બાકીની સીઝનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

જાડેજાને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી

છેલ્લા બે દિવસથી રવિન્દ્ર જાડેજા વિશે અનેક પ્રકારના સમાચાર આવી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચેન્નાઈ સુપર કિંગ્સમાં બધુ બરાબર નથી. કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે, સાથે જ રવિન્દ્ર જાડેજા પણ કોઈને ફોલો કરતો નથી. આવી સ્થિતિમાં સતત અટકળોનો દોર ચાલી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *