રાજ્યમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આજે સતત ત્રીજા દિવસે કોરોનાનો આંકડો 700 પાર રહ્યો છે. દરરોજ નોંધાતા કોરોનાના કેસમાં આજે રાજ્યમાં 735 નવા કેસ નોંધાયા. અમદાવાદ પછી હવે સુરતને કોરોના નો કહેર વધતો જાય છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 735 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 17 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 1962 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 36,123 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 423 દર્દીઓએ સ્વસ્થ થયાં છે.
કોરોનાના સંક્રમણ મામલે સુરત આજે પણ રાજ્યમાં ટોચ પર રહ્યું. આજે નોંધાયેલા કુલ 735 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 201 અને જિલ્લામાં 40 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 168 અને જિલ્લામાં 15 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 55 અને જિલ્લામાં 10 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 14 અને જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 69 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 8504 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 26,323 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1962 થયો છે