NATIONAL

ચારેય બાજુ ભરાયેલું હતું પાણી તો પોતાનું જીવન બચાવવા સ્કૂલના 70 વિદ્યાર્થીઓ એ કર્યું આ કામ

ઝારખંડના જમશેદપુરને અડીને આવેલા સરૈકિલા જિલ્લાના મસ્તી પાઠશાળામાં લગભગ 70 બાળકો પોતાનો જીવ બચાવવા શાળાની છત ઉપર ચઠીયા હતા. નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે પાણી શાળામાં પ્રવેશ્યું હતું, તેમજ શાળા પરિસરનું મંદિર પણ સંપૂર્ણપણે ડૂબી ગયું હતું. જેથી બાળકો ડરીને મંદિરની છત પર ચઠી ગયા.

ભીમખંડ ખાતેના પાંડેશ્વર બાબાનું મંદિર નદીના જળસ્તરમાં વધારાને કારણે સંપૂર્ણપણે ડૂબી ગયું છે. મસ્તી પાઠશાળા અંતર્ગત ગરીબ બાળકો માટે મફત શિક્ષણ, આરોગ્ય, ભોજન અને રહેણાંક શાળાની વ્યવસ્થા છે. અહીં, જેનાં માતા-પિતાનું નિધન થયું છે, અથવા જેમનાં માતા-પિતા દરરોજ વેતન માટે શહેર આવે છે, અહીંનાં વિદ્યાર્થીઓને નિ: શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. અહીં લગભગ 70 બાળકો અભ્યાસ કરે છે.

ગુરુવારે ખારખાઇ નદીનું પાણી મંદિર પરિસરને અડીને આવેલી આ શાળામાં પ્રવેશ્યું હતું. જ્યારે આખું ગામ અને મંદિર પૂરમાં ભરાઈ ગયાં હતાં, ત્યારે અહીં ભણતા સ્કૂલનાં બાળકો ભયથી શાળાની છત પર ચઠતાં હતાં.

ગામ લોકો એમ પણ કહે છે કે શાળાની આજુબાજુ પાણી છે અને આ રીતે બાળકો ગામમાં આવી શકતા નથી, તેથી તમામ બાળકો શાળાની છત પર ચઠી ગયા છે. આ અંગે વહીવટી તંત્રને માહિતી આપવામાં આવી છે. ગ્રામજનો તેમના સ્તરે બાળકોને ખોરાક આપી રહ્યા છે અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. જો નદીનું પાણીનું સ્તર ઘટશે, તો શાળાની આજુબાજુથી પાણી ઓછું થઈ જશે અને જો પાણીનું સ્તર વધશે તો બાળકોને ત્યાંથી જલ્દીથી કાઠી નાખવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *