અમદાવાદઃ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે રાષ્ટ્રજોગ સંબોધન કરી રહ્યા છે.આગામી 17 મેએ લોકડાઉનની ત્રીજી અવધિ પૂર્ણ થઈ રહી છે ત્યારે વડાપ્રધાનના આજના સંબોધન પર સમગ્ર દેશની નજર મંડાયેલી છે.
સમગ્ર વિશ્વમાં 42 લાખ લોક સંક્રમિત થયા છે.
* 2.75 લાખ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. ભારતમાં પણ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હું એ દરેક પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.
* સમગ્ર દુનિયા અત્યારે જિંદગી બચાવવાના જંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. આપણે આજ સુધીમાં આવું સંકટ કદી જોયું નથી. આ અકલ્પનિય સંકટ છે.
* પરંતુ થાકવું, હારવું, તૂટી જવું, વિખેરાઈ જવું માનવને મંજૂર નથી.
* સતર્ક રહીને આપણે બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે. આપણો દૃઢ સંકલ્પ આ સંકટથી પણ અનેક ગણો વિરાટ અને મક્કમ છે.
* એકવીસમી સદી ભારતની છે. કોરોના પહેલાં અને કોરોના પછી એમ વિશ્વને જો નવી નજરે જોવામાં આવે તો એ વિશ્વાસ મજબૂત બને છે કે એકવીસમી સદી ભારતની જ હશે.
* એ સ્વપ્ન સાકાર કરવા માટે એક જ રસ્તો છેઃ આત્મનિર્ભરતા
એક રાષ્ટ્ર તરીકે આપણે બહુ જ મહત્વના વળાંક પર ઊભા છીએ.
* આ આફત પણ ભારત માટે એક સંકેત, એક સંદેશ, એક અવસર લઈને આવી છે.
* જ્યારે કોરોના સંકટ શરૂ થયું ત્યારે ભારતમાં એકપણ પીપીઈ કિટ બનતી ન હતી. એન-95નું પણ નહિવત્ત ઉત્પાદન હતું.
* આજે ભારતમાં દરરોજ 2 લાખ પીપીઈ કિટ અને 2 લાખ એન-05 માસ્ક બની રહ્યા છે. આ એટલાં માટે આપણે કરી શક્યા કે ભારતમાં આફતને અવસરમાં બદલવાની આવડત છે.
*આત્મનિર્ભરતાનો અર્થ એવો નથી કે આત્મકેન્દ્રિત અર્થ વ્યવસ્થા હોય. ભારતની આત્મનિર્ભરતા વસુધૈવ કુટુમ્બકમ પ્રકારની છે. જે પૂરા વિશ્વને પરિવાર માનતી હોય.
* ભારતની આત્મનિર્ભરતા એક સુખી, સમૃદ્ધ વિશ્વનું નિર્માણ કરશે.*આપણો સદીઓનો ગૌરવપૂર્ણ ઈતિહાસ ગવાહી આપે છે, ભારત સોનાની ચિડિયા ગણાતું હતું ત્યારે પણ વિશ્વ કલ્યાણની ભાવના જ સર્વોપરી હતી.
* આ સદીના આરંભે Y2k સંકટથી વિશ્વ ગભરાતું હતું ત્યારે ભારતીયોએ એ સંકટનો સામનો કર્યો હતો.
* આપણે શ્રેષ્ઠ ઉત્પાદનો કરીશું, ગુણવત્તા સુધારશું, સપ્લાય ચેઈનને આધુનિક બનાવીશું. જે આપણે કરી શકીએ છીએ અને આપણે એ કરીશું.
* મેં કચ્છમાં ભૂકંપ જોયો છે. ચારે તરફ બધું ધ્વસ્ત હતું. મારી આંખે મેં એ કાટમાળ જોયો છે. એ વખતે કોઈ વિચારી પણ ન્હોતું શકતું કે કચ્છ કદી બેઠું થશે. પણ એ શક્ય બન્યું. આજે કચ્છ સમૃદ્ધિમાં રાચે છે.
* આપણે એ નક્કી કરીએ તો પછી એ શક્ય બને જ છે.* આત્મનિર્ભર ભારતની ભવ્ય ઈમારત પાંચ પીલર પર ઊભેલી છે.
1. અર્થવ્યવસ્થાઃ એક એવી વ્યવસ્થા જે ક્વોન્ટમ જમ્પ આપે.
2. માળકાગત સુવિધા, જે આધુનિક ભારતની ઓળખ બને.
3. સિસ્ટમ, જે એકવીશમી સદીના સપનાને સાકાર કરતી ટેક્નોલોજી ડ્રિવન હોય.
4. ભારતીય લોકતંત્ર, જે દુનિયામાં સૌથી મોટી છે.
5. ડિમાન્ડ, જે સપ્લાયની સાથે તાલમેલ વધારેવિશેષ આર્થિક પેકેજની જાહેરાત, જે આત્મનિર્ભર ભારતની જરૂરિયાતો પર કામ કરશે
*વિશેષ આર્થિક પેકેજની જાહેરાત, જે આત્મનિર્ભર ભારતની જરૂરિયાતો પર કામ કરશે.
*20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત
* ભારતના જીડીપીના લગભગ 10 ટકા
2020માં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ આપશે.
* લેન્ડ,લેબર, લિક્વિડીટી અને લો દરેક માટે કામ કરશે
* કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે આ પેકેજ સહાયતા પૂરી પાડશે
આવી મસાલેદાર ન્યૂઝ વાંચવા માટે અત્યારેજ અમારા પેજ ને ફોલ્લોવ કરો.
https://www.facebook.com/indiarealnews03