NATIONAL

ઓક્સિજન પૂરો થવાના લીધે હોસ્પીટલમાં દર્દીઓના થયા મૃત્યુ તો ડોક્ટર-નર્સ એ કર્યું કંઇક આવું

દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં આશરે 8 દર્દીઓના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. આ મામલો શહેરના પોશ સેક્ટર 56 ની ખાનગી હોસ્પિટલ તરીકે જણાવાઈ રહ્યો છે. જ્યાં 30 એપ્રિલ શુક્રવારે છેલ્લી રાત્રે ઓક્સિજન પુરવઠો પૂરો થતાં દર્દીઓનાં શંકાસ્પદ મોતનાં સમાચાર મળ્યાં હતાં. જે બાદ હોસ્પિટલમાં તબીબ, નર્સ અને મેડિકલ સ્ટાફ ઘટના સ્થળેથી છટકી ગયો હતો. આજ તક આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતો નથી.

હોસ્પિટલની બહારથી એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ચેપગ્રસ્ત દર્દીઓના સબંધીઓ રડતા જોવા મળે છે. મૃતકોના સબંધીઓ પોલીસની મદદ માટે વિનંતી કરી રહ્યા છે. પરંતુ કોઈ તેમની સંભાળ લઈ રહ્યું નથી.

આ સાથે જ જિલ્લા પ્રશાસન આ બનાવ અંગે મૌન સેવી રહ્યું છે. કીર્તિ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતા મોહને જણાવ્યું હતું કે 30 એપ્રિલના રોજ મોડી રાત્રે તે પોતે મેડિકલ સ્ટોર પર હાજર હતો. ઓક્સિજન નીકળી ગયું હતું. જેના કારણે લગભગ 8 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

આ દુર્ઘટનાના 6 દિવસ બાદ પણ ગુરૂગ્રામ સેક્ટર 56 પોલીસ સ્ટેશનની પોલીસે હોસ્પિટલ વહીવટીતંત્ર સામે કોઈ કાર્યવાહી કરી નથી. જેના કારણે મૃતકોના સબંધીઓમાં રોષ છે.

હોસ્પિટલમાં આઠ મોતથી ખળભળાટ મચી ગયો છે. મૃતકોના સબંધીઓ રડતા હાલતમાં છે. તમને જણાવી દઈએ કે, હરિયાણામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *