NATIONAL

ખેડૂતો માટે આવ્યા ખુશી ના સમાચાર

અમદાવાદ. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ ખેડૂતોને ટૂંકી મુદતનું ધિરાણ બે મહિના મોડું ભરવાની સુવિધા કેન્દ્ર સરકારે આપી હતી. આ સુવિધા ઓછી પડશે તેવી રજૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારને કરતા કેન્દ્ર સરકારે ટૂંકી મુદતનું ધિરાણ તા. 31મી ઓગસ્ટ સુધીમાં ભરી શકાશે તેવી સમય મર્યાદા નક્કી કરી છે.
લોકડાઉન લંબાયું હોવાથી ખેડૂતો હજુ પાકના વેચાણ કરી રહ્યા છે. આથી ટૂંકી મુદતનું ધિરાણ ભરવામાં હજુ સમય મર્યાદા વધારવી જોઇએ તેવી રજૂઆત કરી હતી. જેનાપગલે કેન્દ્ર સરકારે 31મી ઓગસ્ટ સુધી મુદત વધારી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને 7 ટકાના દરે પાક ધિરાણનાે 3 ટકા કેન્દ્ર અને 4 ટકા રાજ્ય સરકાર ભોગવે છે. જેથી રાજ્ય સરકાર પર 160 કરોડનો બોજ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *