રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાના હાઇકોર્ટના નિર્ણયથી મોટો ઝાટકો લાગ્યો છે. ત્યારે આજે ફરીથી તેમાં એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત HCના નિર્ણયને સુર્પીમ કોર્ટમાં પડકારવા માટે અરજી ફાઈલ કરી દીધી છે. HCના ચુકાદા પર ભૂપેન્દ્રસિંહની SCમાં અરજી કરીને સ્ટે આપવા માગ કરી છે. આમ, તેઓએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
છે સમગ્ર મામલો?
ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ ઉદ્ભવ્યો હતો. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના 429 જેટલા મત તેમના તરફી હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા.
ચૂંટણી પંચના નિયમ અનુસાર EVMની મત ગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઇ છે. જોકે, આ નિયમને બાજુમાં મુકી EVMની સીધી મત ગણતરી કરવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાને લાભ કરાવવાના હેતુથી ડેપ્યુટી કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરાઇ હતી.
અગાઉ ધોળકા વિધાનસભા સીટ પર કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન અંતર્ગત તમામ પક્ષકારો તરફથી રજૂઆતો પૂર્ણ થઈ હતી. તમામ પક્ષે વિધિવત રીતે સુનાવણી પૂર્ણ જાહેર કરાઈ હતી. ઇલેક્શન પિટિશનમાં તમામ રેકોર્ડ, પુરાવા અને જુબાનીઓના એક્ઝિબીટ નંબર્સ અપાયા હતા. કુલ 151 એક્ઝિબીટ છે. તમામ પક્ષોએ કોર્ટમાં પોતાની લેખિત દલીલો પણ રજૂ કરી દીધી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી તેમના વકીલ દ્વારા ફાઈનલ રજુઆતોમાં મુખ્યત્વે ધવલ જાનીના ભ્રષ્ટ આચરણ ઉપર ઢાંકપિછોડ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મુખ્યત્વે આર ઓ. એટલેકે ધવલ દ્વારા ભ્રષ્ટ આચરણ થયું છે કે નહીં તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી તેમના વકીલ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે ધવલ ના કોઈપણ પ્રકારના આચરણથી ચૂંટણી પરિણામો પર અસર થઈ નથી. ધવલ દ્વારા કોઈપણ ભ્રષ્ટ આચરણ કરવામાં આવ્યું નથી ભુપેન્દ્રસિંહ દ્વારા ક્યારેય આ પ્રકારના આચરણને સમર્થન આપવામાં આવ્યું નથી. ભુપેન્દ્રસિંહના વકીલે અહીં સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધીને સંબધિત ચૂકાદાનો ઉલ્લેખ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યત્વે પિટિશનરની જુબાની તથા રીટર્નીંગ ઓફીસર ધવલ જાનીની મતગણતરી કેન્દ્રમાં શંકાસ્પદ ભુમીકા અને મોબાઈલ ના ઉપયોગ વિશેની જુબાની વંચાણે લેવાઈ હતી.
ગત સુનાવણીમાં કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડ તરફથી તેમના વકીલની વિનંતિને ગ્રાહ્ય રાખી કોર્ટે મત ગણતરી મથકના સી.સી.ટી.વી. ફૂટેજ કોર્ટમાં બતાવાયા હતા જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રાઇવેટ સેક્રેટરી મહેતા ની શંકાસ્પદ હિલચાલ તથા મતગણતરી મથકમાં મોબાઇલ ફોનના ઉપયોગને ટાંકીને રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ ઉમેદવાર કે ઉમેદવાર ના એજન્ટ કે કાર્યકર અથવા તેમના કર્મચારી દ્વારા ઉમેદવારની સંમતિથી અથવા ઉમેદવાર વતી અથવા ઉમેદવાર ઇશારે કોઈપણ કરપ્ટ પ્રેક્ટિસ કરવામાં આવે અને તે પણ મતગણતરી મથકમાં તો તે સંપૂર્ણપણે કાયદાનું ઉલ્લંઘન છે અને ઉપરોક્ત સીસીટીવી ફુટેજમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના પર્સનલ સેક્રેટરી મેહતા શંકાસ્પદ હિલચાલ કરતા જોવા મળે છે.
આ સાથે અરજદાર વતી તેમની રજૂઆતો પૂર્ણ કરાઈ હતી.. તમામ પક્ષકારો દ્વારા ફાઈનલ રજૂઆતો પૂર્ણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ની ચૂંટણી નું પરિણામ ૧૮ ડિસેમ્બરે ૨૦૧૮એ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભુપેન્દ્રસિંહ ચડાસમાં ને ૩૨૭ મતે કોંગ્રેસ ના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કૉંગ્રેસએ આ જીત ને હાઇકોર્ટ માં પડકારી હતી. બીજી તરફ ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું હતું કે ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું.
આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં નાઆવી હોવાનો વિવાદ ઊભો થયો હતો. અશ્વિન રાઠોડે ફરિયાદ માં જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. તેને બાજુએ મૂકીને ઇવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી.
